આધુનિક ભારતમાં નોકરી કરતી મહિલાઓમાં આર્થિક પરિવર્તનના કારણે તાદ્રશ્ય થતી મનોભારની અસર

પટેલ સોનલ કે.

પીએચ. ડી. શોધાર્થી,હેમ.ઉ. ગુજ. યુનિ.પાટણ

સારાંશ 

          પ્રસ્તુત સંશોધનમાં નોકરી કરતી મહિલાઓના આર્થિક પરિવર્તનના કારણે એમના મનોભારની અસર જેમાં નિરીક્ષણ પદ્ધતિ દ્વારા 50 નોકરી કરતી મહિલાઓ અને 50 નોકરી ન કરતી મહિલાઓ લીધી અને સામાન્ય રીતે તે ગૃહિણીઓ હતી જેનું નિરીક્ષણ કરતી વખતે તારણ એવું જોવા મળે છે કે નોકરી કરતી મહિલાઓમાં આર્થિક મનોભાર ઓછો જોવા મળે છે બીજી સ્ત્રીઓની સરખામણી કરતા જોયું કે આર્થિક રીતે મનોભાર ખૂબ જ હળવો તેમજ રોજિંદી જીવનશૈલી નો તાલમેલ પણ સારો હોય છે કાર્યભારણ હોવા છતાં આર્થિક પરિસ્થિતિના કારણે મનોભારની હળવાશ જોવા મળે છે

પ્રસ્તાવના 

            આજના આધુનિક યુગમાં ઝડપી પરિવર્તનોના સમયગાળામાં બદલાતી જતી પરિસ્થિતિઓ સાથે અનુકૂળ થવું પડકારરૂપ છે અને તેના કારણે જ લોકો મનોભારનો ભોગ બને છે. મનુભારની ઉત્પત્તિ કરનારા ઘટકોમાં રોજિંદા જીવનના કે આકસ્મિત બનતા પ્રાકૃતિક માનવસર્જિત કારણોનો સમાવેશ થાય છે મનોભારના લીધે મનુષ્યની આવેગીક, બોધાત્મક, શારીરિક અને વાર્તનિક પ્રક્રિયાઓ પર વિપરીત અસર પડે છે.

આવનારા વર્ષોમાં લોકોએ મનોભારની સાથે સુખરૂપ જીવવું હશે તો માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવાના પ્રયત્નો કરવા પડશે. જેમાં મનોવિજ્ઞાન અને મનોવિજ્ઞાન સાથે સંકળાયેલા લોકોએ મહત્વની ભૂમિકા ભજવવી પડશે. માનસિક રીતે સ્વસ્થ્ય જીવન જીવવા માટે વ્યક્તિએ સર્વાંગી અભિગમ અપનાવી જીવનશૈલીમાં પરિવર્તન કરવું પડશે.

મનોભારની વ્યાખ્યા અને અર્થ 

          “મનોભાર એટલે હતાશા,સંઘર્ષ કે દબાણની એવી પડકારરૂપ પરિસ્થિતિ જે વ્યક્તિની શારીરિક કે માનસિક શક્તિ પર ભારરૂપ બને છે.”

         મનોભાર એ ઉદીપક બનાવો પ્રત્યે પ્રાણીની વિશિષ્ટ અને અવિશિષ્ટ પ્રતિક્રિયાઓની ભાત છે,જે સંતુલન જોખમાવે છે અને બોજો નાંખે છે અથવા ઘટના કે બનાવોને પહોંચી વળવાની શક્તિમાં વધારો કરે છે.”

       તનાવ એટલે અનુભવાયેલ તીવ્ર કે લાંબાગાળાના પડકારો સાથે સંબંધિત નકારાત્મક આવેગીક અનુભવો જે વાર્તનિક અને શારીરિક પરિવર્તનો સાથે સંકળાયેલા છે.

                                                         સારાસન અને સારાસન 

મનોભારનો અર્થ થાય છે “ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ” જેને કારણે તનાવ ઉત્પન્ન થાય છે અને પદાર્થની રચના બદલાય છે. આમ, મનોવિજ્ઞાનમાં મનુષ્યની આંતરિક-બાહ્ય, શારીરિક- માનસિક સ્થિતિને બદલવા માટે જવાબદાર ઘટનાઓ બાહ્ય ઉદ્દીપકોને પરિણામે ઊભી થતી માનસિક સ્થિતિને મનોભાર તરીકે ઓળખવામાં આવે છે. આમ, મનોવૈજ્ઞાનિકોના મતે મનોભાર એ એવી આંતરિક કે બાહ્ય પરિસ્થિતિ છે જેને લીધે તનાવ અને થાક ઉત્પન્ન થાય છે જેનાથી હતાશા પેદા થાય છે. 

મનોભારનું સ્વરૂપ 

મનોભારના સ્વરૂપો નીચે દર્શાવેલ છે. 

  • મનોભારના ત્રણ પ્રકારો છે 

          મનોભારના મુખ્ય ત્રણ પ્રકારો દર્શાવવામાં આવ્યા છે જેમાં સંઘર્ષ,હતાશા અને દબાણનો સમાવેશ કરવામાં આવ્યો છે.

  • મનોભારનુ પ્રમાણ ઘણી બધી બાબતો પર આધારિત છે 

મનોભારની બાબતમાં માણસે માણસે વિવિધતા અને દ્વિતીયતા જોવા મળે છે એક જ પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ સમાન રીતે મનોભાર અનુભવી શકતું નથી. એવી જ રીતે એક જ સમયે એક જ મનોભાર અનુભવે એવું પણ નથી. મનોભારની રીત વ્યક્તિની જાતિ, ઉંમર, વ્યવસાય, આર્થિકસ્થિતિ, અભિરુચિ, કૌશલ્ય આ બધા ઘટકો ઉપર આધાર રાખે છે.

  • મનોભારના કારણો અજ્ઞાત હોઈ શકે છે 

વ્યક્તિને કેટલીક પરિસ્થિતિઓ ચિંતાજનક અને પડકારરૂપ લાગે છે, જેના લીધે તનાવ કે મનોભારનો અનુભવ થાય છે. તેના માટે જવાબદાર ઘટકો વ્યક્તિ જાણતો હોતો નથી જેથી કહી શકાય કે મનોભારના કારણો અજ્ઞાત હોઈ શકે આવા અજ્ઞાત કારણોના લીધે અનુભવાતા મનોભાર માટે દમિત લાગણીઓ, દમિત પ્રેરણાઓ, આવેગો વગેરે બાબતો કારણરૂપ બને છે.

  • મનોભારનો સામનો કરવો કિંમત માગી લે છે 

દરેક વ્યક્તિને પોતાના જીવનમાં મનોભારનો સામનો કરવો પડે છે અને તેની સાથે સમાયોજન સાધવું પડે છે. તીવ્ર મનોભારનો સામનો કેવી રીતે કરવો તેનું શિક્ષણ મેળવવા વ્યક્તિએ શક્તિ, સાધનો કે સમયના સ્વરૂપમાં કિંમત ચૂકવવી પડે છે. મનુષ્યએ મનોભારનો સામનો કરવાની ક્ષમતા કેળવવા આ કિંમત ચૂકવવા તૈયાર રહેવું પડે છે.

  • મનોભાર કાર્યક્ષમતાને ઘટાડનાર બાબત છે 

તીવ્ર મનોભારની પરિસ્થિતિમાં મનુષ્યનું પ્રત્યક્ષીકરણ મર્યાદિત બને છે, પરિસ્થિતિની સમજણ મર્યાદિત બને, બોધાત્મક ક્રિયાઓ સ્થગિત થાય અને તે એક જ પ્રકારની પ્રતિક્રિયા આપે છે. સમસ્યાનો ઉકેલ શોધવા માટે જડ વલણ અને અપરિવર્તનશીલ ક્રિયા અપનાવે છે. મનોભાર જેટલું તીવ્ર અને વ્યક્તિની તેને પહોંચી વળવાની તૈયારી ઓછી તેટલા પ્રમાણમાં વ્યક્તિની કાર્યક્ષમતા ઘટે કે કાર્યક્ષમતા પર નકારાત્મક અસર પડે છે.

  • મનોભારના પરિણામો વિધાયક પણ હોઈ શકે 

મનોભાર હંમેશા નકારાત્મક કે નુકશાનકારક જ હોય તેવું હોતું નથી. કેટલીક વાર મનોભારના વિધાયક પરિણામો પણ હોઈ શકે છે. મનોભારના પરિણામે વ્યક્તિ જાગૃત રહે, તૈયારી કરે, મહેનત કરે, સક્રિય રહે તો તેનાથી ફાયદો થવાની સંભાવના છે.

હેતુ:     આધુનિક ભારતમાં નોકરી કરતી મહિલાઓમાં આર્થિક પરિવર્તનના  કારણે મનોભાર કેવો હોય છે તેનું નિરીક્ષણ કરવું 

સંશોધન યોજના 

પ્રસ્તુત સંશોધનમાં નોકરી કરતી મહિલાઓમાં આર્થિક મનોભાર અંગે તપાસ કરવાની હતી જેમાં નિરીક્ષણ પદ્ધતિ દ્વારા 50 નોકરી કરતી મહિલાઓ અને 50 નોકરી ન કરતી મહિલાઓ લીધી હતી. જે ગૃહિણીઓ હતી કોઈ આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ કર્યો નથી નિરીક્ષણ પદ્ધતિનો જ ઉપયોગ કર્યો છે. 

સ્વતંત્ર ચલ

પરિવર્ત્યો

}

નોકરી કરતી મહિલાઓ        

નોકરી ન કરતી મહિલાઓ           

           મનોભાર નો અભ્યાસ           –           આધારિત ચલ 

અહીં સ્વતંત્ર ચલ તરીકે નોકરી કરતી મહિલાઓ અને નોકરી ન કરતી મહિલાઓ અથવા ગૃહિણીઓનુ નિરીક્ષણ કર્યું છે.

તારણો 

  1.  નોકરી કરતી મહિલાઓમાં આર્થિક મનોભાર હળવો થયો.
  2.  કોઈપણ નિર્ણય યોગ્ય સમજશક્તિ પૂર્વક,શાંતિથી ચોક્કસ રીતે લે છે.

3.   પરિવાર સાથે પ્રેમપૂર્વક વ્યવહાર સાધી નોકરીની સાથે સાથે તેમની જવાબદારી બખૂબી નિભાવે છે.