વણકર રેણુકા એમ.
શોધાર્થી
સારાંશ
ભાષા એટલે અભિવ્યક્તિ અને અવગમન નું અવાજોનું બનેલું વાણીમય માધ્યમ. માણસ જ્યારે આદિમાનવની વખતે પોતાની લાગણીઓ અને માગણીઓ જેમકે ભૂખ તરસ ક્રોધ અને ભય વગેરે જતાવવા માટે અલગ અલગ અવાજોનો ઉપયોગ કરતો હતો તેથી ધીરે ધીરે કુટુંબ પરિવાર અને સમાજ વિકસાવતો ગયો તેમ તેનો માનસિક વિકાસ પણ થયો તે રીતે સોની લાગણીઓ અને વિચારો જણાવવા માટે તેને ભાષાની જરૂર પડવા માંડી એમ ભાષા ગળાતી ગઈ અને વિકાસ થતો ગયો તેમજ માનવ ઉપરાંત ઉત્ક્રાંતિનો એક ભાગ ભાષાનો વિકાસ છે પરિવાર તેમજ સમાજમાં અરસપરસ વ્યવહારનું એક માત્ર સાધન તે ભાષા છે
ભાષાની ઉત્પત્તિ યા ભાષાનો જન્મ :
ભાષા ક્યાંથી આવી તે કેવી રીતે જન્મી આદિમાનવો એ કોની અને કેવી રીતે વિકસાવી ભાષા એ એક પ્રશ્ન જ છે ભાષા વિશે કેટલાક ભાષાવિદો એ અલગ અલગ કલ્પનાઓ કે ધારણાઓ કરી છે.
જગતના પ્રારંભથી માણસ જ્યારે જંગલોમાં છૂટાછવાયો એકલો વિચારતો હતો ત્યારે તેને ભાષાની જરૂરત જ નહોતી એ વખતે તેનામાં હર્ષ કે શોક જેવા આવશો આવે તો તે ચેષ્ટાઓ કરે જે અવ્યક્ત સ્પષ્ટ ના હોય તેમ જે વિકસિત નહોતા માણસની અવસ્થા જેમ જેમ બદલાતી ગઈ તેમ પરિસ્થિતિમાં બદલાવ આવવા માંડ્યો અને તેને વ્યક્ત થવા માટે ભાષાની જરૂર પડવા લાગી. જેમ ઈશારા, સંકેતો કે ચિત્રોની જગ્યાએ ભાષા આવવા લાગી. પ્રથમ તેનો ધ્વનિ ગુંચવણ કે અસ્પષ્ટ લાગ્યો તેમ ઉચ્ચારના અવયવોનો પણ વિકાસ નહોતો થયો તે વિકસવા માંડ્યા.
ભાષાની વ્યાખ્યા:
જે.બી. કેરોલના મતે ભાષાની વ્યાખ્યા:
“ભાષા યાદચ્છિક વાંચી ધ્વનિઓ અને ધ્વનિ શ્રેણીઓની એક સંગઠનના યુક્ત અવસ્થા છે, માનવ વ્યક્તિઓના કોઈ જૂથ દ્વારા પારસ્પરિક સંદેશા વ્યવહારમાં ઉપયોગમાં લેવાય છે કે જે લઈ શકાય છે અને જે માનવ પરેશમાં જોવા મળતા પદાર્થો, બનાવો અને પ્રક્રિયાઓને લગભગ પૂર્ણપણે નોંધી આપે છે”.
એટલે કે ભાષા એ ધ્વનિના સંકેતોની વ્યવસ્થા છે. બધી ભાષાઓને પોતાની એક ધ્વનિ વ્યવસ્થા છે જે પોતાનો અલગ અલગ શબ્દો પ્રમાણે ચિન્હો પ્રમાણે ભાષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
લિપિ નો વિકાસ:
એક સૈકાનો જ ઇતિહાસ તે ગુજરાતી લિપિનો ગણાય. લિપિની શોધમાં પ્રથમ આપણો ભારત દેશ જ આવે છે. આપણા દેશે યોજેલી બ્રામણી લિપિ દુનિયાની તમામ લિપિયોમાં સમગ્ર વૈજ્ઞાનિક અને ચોક્કસ તેમજ શુદ્ધ એમ પશ્ચિમી વિદ્વાનો પણ માને છે.
આદિમાનવ એ સંસ્કૃતિ તરફ પ્રથમ પગલું માંડ્યું હેમાનું એક લિપિની શોધ જે ઇસવીસન પૂર્વે 3,500 પછી લેખન નો જન્મ થયાનું કહી શકાય છે. ચિત્ર લીપી થી પ્રારંભ થયો જે ગુફા ની દીવાલો પણ લખેલા પુરાવા મળ્યા છે એ પછી માણસે ભાષાનો વિકાસ કર્યો. પ્રાચીન સમયમાં ભારતમાં બ્રાહ્મી અને ખરોષ્ટિ એમ બે લિપિયો ચાલતી હતી. એમાંની એક બ્રાહ્મી લિપિ એ પ્રચારમાં આવી અને માણસે બીજી રીતે અંકોની પણ શોધ કરી પછી વર્ણમાળા બનાવી અને વૈજ્ઞાનિક ઢબે ગોઠવી.
આમ પ્રાચીન લિપિ પણ સમયના પ્રવાહે પરિવર્તન પામી અને દેવનાગરી લિપિ બની અને બાદમાં આપણી ગુજરાતી લિપિ પણ અસ્તિત્વમાં આવે છે.
ગુજરાતી ભાષાની વિકાસગાથા:
૧. જૂની ગુજરાતી: પ્રાચીન યુગ : ૧૨મી સદી થી ૧૪મી સદી સુધી
2. મધ્યકાલીન ગુજરાતી: મધ્યકાલીન યુગ: ૧૫મી સદી થી ૧૬મી સદી સુધી
3. અર્વાચીન ગુજરાતી: અર્વાચીન યુગ: ૧૭મી સદી થી આજ સુધી
આમ વૈદિક કાળમાં પહેલા સંસ્કૃત ભાષા બોલાતી હતી પછી કાળક્રમે બદલા વાર્તા તે પ્રાકૃત કે પારિભાષા આવી અને વહેતાં ઝરણાંની જેમ ભાષા ગતિમાન થતી ગઈ અને આગળ જતો અપભ્રંશ ભાષા બની અને તેમાંથી ગુજરાતી ભાષા અસ્તિત્વમાં આમ આવી તમામ જેમ કે બંગાળી, મરાઠી, હિન્દી અને ગુજરાતીની જનની એ મૂળ સંસ્કૃત ભાષા છે જે કાળક્રમે ઉત્ક્રાંતિ પામી આજે ગુજરાતી ભાષારુપે અસ્તિત્વ ધરાવે છે.
ભાષાની ઉત્પત્તિ:
ભાષા કેમ કેવી રીતે આવી એ સહજ આપણા મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે અને ઉદ્ધવવો જ જોઈએ પણ કેટલાક ભાષાએ અલગ અલગ ધારણાઓ કરી ભાષાની વ્યાખ્યાઓ આપવાનો સક્રિય પ્રયત્ન કરેલો છે.
સૃષ્ટિના સર્જન થી જ્યારે માનવ વિચારતો થયો ત્યારે તેને ક્યાં સુજબુજ હતી તે તો જંગલોમાં એકલો અતુલો ભટકતો હતો અને જીવન ગાળતો હતો, અને જીવન જીવતો હતો એને વળી એ વખતે ભાષાની શી જરૂર હતી તેના આવેગો અને આવે શું પોતાની વિવિધ ચેષ્ટાઓ દ્વારા ત્રિત કરતો હશે માનવ પૂર્ણ વિકસિત ના હોય એટલે તે અવ્યક્ત અને અસ્પષ્ટ જ હોય જેમ જેમ તેની અવસ્થા પ્રમાણે તે કાળક્રમે પોતાની પરિસ્થિતિમાં બદલાવ લાવતો ગયો આગળ જતાં તેને વધુ વ્યક્ત થવા માટે ભાષા વગર શક્ય જ નહોતું એટલે તેને ઈશારા, ધ્વનિઓ કે સંકેતોની જગ્યા ભાષા આવવા લાગી. માનવના અવયવોનો ઉપયોગ સંપૂર્ણપણે ના થાય એટલે તે સંકોચાયેલા જ રહે અને અસ્પષ્ટ જ ઉચ્ચાર થાય. ધીમે ધીમે તેની લાગણીઓ વધતા તેને ઘર પરિવાર અને સમાજનું સર્જન કર્યું અને અસ્પષ્ટ અને ગુંચવણ ભર્યું પણ ભાષા ક્રમશ સ્થિર અને સ્પષ્ટ થવા લાગી વિકાસ થતા ભાષા મૂળ ધ્વનિ રૂપે બોલાવા લાગી .આમ ભાષા તેને કાર્ય પદ્ધતિથી વિકાસ પામતી ગઈ અને હવે આપણે ભાષાની વ્યાખ્યાઓ જોઈએ.
ભાષાની વ્યાખ્યા:
કેટલાક ભાષાવિદો એ ભાષાની વ્યાખ્યા આપી મત મતાંતર બતાવ્યા છે જે આપણે વિગતે જોઈએ.
આર.એ હોલના મતે:
“ભાષાઓ એટલે યાદચ્છિક સંકેત પદ્ધતિ દ્વારા સંદેશા વ્યવહાર કરવાની માનવ વડે ઉપયોગમાં લેવાતી વાંચ્ય શ્રાવ્ય ટેવોની વ્યવસ્થાઓ”
Language r systems of oral auditory habits, used by human for conveyance of message through arbitrary symbolism
જે.બી .કેરોલના મતે
“ભાષા યાદચ્છિક વાતચીત ધ્વનિઓ અને ધ્વનિ શ્રેણીઓની એક સંઘટનાયુક્ત વ્યવસ્થા છે જે માનવ વ્યક્તિઓના કોઈ જૂથ દ્વારા પારસ્પરિક સંદેશા વ્યવહારમાં ઉપયોગમાં લેવાય છે કે લઈ શકાય છે અને જે માનવ પરિવેશમાં જોવા મળતા પદાર્થો, બનાવો અને પ્રક્રિયાઓને લગભગ પૂર્ણપણે નોંધી આપે છે”.
A language is a structured system of arbitrary vocal sounds and sequences of sound s which is used, or can be used, in interpersonal communications and by an aggregation of human beings and which rather exhaustively catalogues the things, events and processes in the human environment.
ભાષાએ ધ્વનિના સંકેતોથી બનેલી એક વ્યવસ્થા છે જેટલી ભાષાઓ હોય એ તમામ ભાષાની અલગ અલગ વ્યવસ્થા હોય છે આવી વ્યવસ્થા ક્રમે ક્રમે બદલવી જ પડે એ ટચકાળાને તાળી ના આવાજ ને અલગ અલગ પાડવા પડે આ ચિત્રોની વ્યવસ્થા નથી પણ ભાષા ની સંકેત વ્યવસ્થા એ કુદરતી નથી પણ તે માનવસર્જિત છે કૃત્રિમ છે માણસોએ વિકસાવેલી અલગ અલગ ભાષા છે ભાષા એ પરસ્પર સમાજમાં યા સમુદાય રૂપે જ આવે છે અસ્તિત્વમાં જે ઘણા બધા સમયથી પ્રચલિત કે વપરાશમાં આવવાથી દૃઢ થયેલ છે સ્વીકારાયેલ છે તેમજ અપનાવાયેલ છે જેમ ભાષા અસ્તિત્વમાં આવી ત્યારથી આવે છે લિપિ પણ જે આપણે લિપિ વિશે પણ થોડું જાણીએ.
લિપિ નો વિકાસ:
આપણી હાલની ગુજરાતી લિપિ નો ઈતિહાસ એ સો વર્ષનો એટલે કે એક સૈકાનો ગણાય. એની જડમાં જઈએ તો લિપિની શોધમાં આપણો દેશ જ આગળ આવે છે જે ઇસવિસન પૂર્વે 3,500 પછી લેખન પદ્ધતિનો ઉદય થયાનું કહેવાય છે . ચિત્ર લીપી થી આ લેખન પદ્ધતિની શરૂઆત થઈ છે. જંગલો માં પહેલા ગુફાઓ હતી જેમાં ચિત્રો જે દિવાલ ઉપર હોવાના અસંખ્ય પુરાવા પુરાતન શાખા એ આપેલા છે અને આપણને મળેલા છે પછી માણસે ભાષાને વિકસાવી ભાષા ચિત્ર સંકેતોથી ધ્વનિના સંયોજનથી બનેલી છે. વ્યક્તિ જ્યારે પોતાનો સંદેશો બીજા સુધી પહોંચાડવા માટે લોકો ચિત્ર દ્વારા મોકલતા હતા ચિત્રોની મદદથી જુદા જુદા ભાવો જેમ કે ભય, શોક ,ક્રોધ ,પ્રેમ અને સંવેદના ને વ્યક્ત કરવામાં માણસને મુશ્કેલી પડવા લાગી તેથી જુદા જુદા ધ્વનિ અનુસાર તેની સંજ્ઞાઓ યોજી અને સંકેતો ની યોજના કરી એમાંથી કોઈ પ્રભાવશાળી માણસે ધ્વનિ સૂચક લિપિ તૈયાર કરી બીજાઓએ એમાં અનુમતિ આપી હોય એમ બન્યું લાગે છે.
જુના જમાનામાં ભારતમાં મુખ્યત્વે બ્રાહ્મી અને ખરોષ્ટિ જેવી લિપિઓ ચાલી આવતી હતી. આગળ જતાં બ્રાહ્મી લિપિનો ફેલાવો વધુ થયો. માણસે બાદમાં અંકોની શોધ કરી જેમાં દરેક ધ્વનિ માટે અલગ અલગ ચિન્હો બન્યા. અને અંતે વર્ણમાળા નો ક્રમ વૈજ્ઞાનિક ઢબે ગોઠવાઈ ગયો.
પ્રાચીન લિપિ કાળક્રમે બદલાઈ અને એમાંથી દેવનગરી લિપિ અસ્તિત્વમાં આવી. પછી એમાંથી ગુજરાતી ભાષા વિકસિત થઈ અને જે દેવ નાગરીમાંથી ઉપરની શીરો રેખા નીકળી ગઈ અને એવા બીજા પણ ઘણા ફેરફાર થયા. આવી રીતે આપણી ગુજરાતી ભાષા દેવ નાગરી લિપિની જ ઉપજ છે.
ગુજરાતી ભાષા અને ગુજરાત:
ગુજરાત રાજ્ય ચારેકોર થી જોડાયેલું છે જેમ ઉત્તરે પાકિસ્તાન, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર અને પશ્ચિમે અરબ સાગર સાથે જોડાયેલું છે. ગુજરાત નામ ગુર્જર જાતિ સાથે સંકળાયેલ છે જે ભારતમાં આવી આ જાતના લોકો પ્રવેશ કરીને ઉત્તર ગુજરાતમાં વસ્યા હતા. આમ ‘ગુર્જર’ શબ્દ પરથી ગુજરાત નામ મળ્યું અને ગુજરાતી ભાષા અસ્તિત્વમાં આવી.
અર્વાચીન સમયમાં ગુજરાતી નામ એ ગુર્જર ભાષા એવું નામ મળેલું જે ભાલણે આપેલું. તેમાંથી અપભ્રંશ ભાષા અસ્તિત્વમાં આવી પછી ગુર્જર ભાષા અસ્તિત્વમાં આવી, પ્રાકૃત કે પાલી ભાષા પણ અસ્તિત્વમાં આવી જે બુદ્ધ અને મહાવીર સ્વામીના સમયગાળા વખતે એમને ઉપદેશો પણ આ જ ભાષામાં આપેલા છે અને અખાએ ‘પ્રાકૃત’ જ કહીને ઓળખાવેલી , તેમજ ગુજરાતી આખ્યાનકાર પ્રેમાનંદે “ગુજરાતી” શબ્દથી ઓળખાવી જેનો ઉલ્લેખ પ્રેમાનંદ એ દશામાં સ્કંધમાં કરેલો.
આમ, ગુજરાતી ભાષાની વિકાસ રેખા આપણે ટૂંકમાં આગળ જોઇએ.
ગુજરાતી ભાષાની વિકાસ રેખા:
આપણે ગુજરાતી ભાષા જે સતત વહેતા ઝરણાની જેમ પરિવર્તન પામી અસ્તિત્વમાં આવે છે તેને આપણે ટૂંકમાં યુગ પ્રમાણે જોઈએ.
૧. જૂની ગુજરાતી: પ્રાચીન યુગ: 12 મી સદી થી 14 મી સદી સુધી
૨. મધ્યકાલીન ગુજરાતી: મધ્યકાલીન યુગ: 15 મી સદી થી 16 મી સદી સુધી
3. અર્વાચીન ગુજરાતી: અર્વાચીન યુગ: 17 મી સદી થી આજ દિન સુધી
જે આપણે વિગતે જોઈએ.
૧) જૂની ગુજરાતી:
ઈસવીસન બારમી સદીથી શરૂ કરીએ તો 14 મી સદી સુધીમાં ગુજરાતમાં બોલાતી લખાતી ભાષા’જૂની ગુજરાતી’નામથી ઓળખાતી હતી. જે સિધ્ધરાજ જયસિંહ સોલંકી કાર્ડ માં પ્રચલિત હતી અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય રચિત”સિદ્ધહેમ”નામના વ્યાકરણ ગ્રંથમાં ઉદાહરણો જે લોકસાહિત્યમાંથી અપભ્રંશ દુહાઓનો ઉલ્લેખ છે જેને જેને ગુજરાતી તરીકે તેમજ ગુજરાતી ભાષાના ઉદયનું પ્રથમ સૂચન કરે છે.
૨) મધ્યકાલીન ગુજરાતી:
15મી સદી થી 16મી સદી સુધીના સમયગાળાને જેમાં લખાતી તેમ જ બોલાતી ભાષાને મધ્યકાલીન ગુજરાતી કહેતા હતા. જે ઇસવીસન 1456માં ‘કાનહડ દે પ્રબંધ’જે ગુજરાત તેમજ રાજસ્થાનની સહિયારી કૃતિ મનાઈ છે, ત્યારથી ગુજરાતી ભાષાનો સ્વતંત્ર વિકાસ શરૂ થાય છે અને અહમદશાહે ગુજરાતનું જુદુ રાજ્ય શરૂ કરેલું. આનાથી ગુજરાતની ભાષાકીય અસ્મિતાને ગતિ મળે છે.
૩) અર્વાચીન ગુજરાતી:
૧૭મી સદીથી આજ સુધીમાં જે ભાષા બોલાતી અને લખાતી હતી તે ભાષાને’અર્વાચીન ગુજરાતી’તરીકે ઓળખાય છે તેમજ આ સમયમાં કવિ અખો, શામળ, પ્રેમાનંદ અને દયારામ જેવા મોટા ગજાના કવિઓ થઈ ગયા. આ પછી ગુજરાતી ભાષા વધુ સુદ્રઢ બની. આ સમયગાળાને પંડિત યુગ પણ કહે છે.
આમ, ભાષાને વાર રૂપ બનાવવા તેમજ સુદ્રઢ અને અર્થસભર બનાવવા માટે અનેક પ્રયત્ન થયા છે. નર્મદથી આગળ ગોવર્ધનરામ ત્રિપાઠી, આનંદ શંકર ધ્રુવ વગેરે એ અરસાના ભાષા સાહિત્ય ના ખરા ઘડવૈયા છે.
ગાંધીયુગથી ગાંધીના આવ્યા પછી ગુજરાતી ભાષાના બીજા પાસાઓ ભાષા રૂપે મંડાયા પછી તો ક. મા. મુનશી, ર. વ. દેસાઈ તેમજ કાકા સાહેબ કાલેલકર ગાંધીયુગથી વધુ પ્રભાવિત થયેલા. મોટા ગજાના સર્જકો તેમજ ભાષાને ખેડનારા ખરા ખેડુઓ જેમણે ભાષાની કાયાપલટ કરી દીધી.
આમ, તમામે તમામ ભાષાની જનની તો અંતે સંસ્કૃત જ છે છતાં તે પરિવર્તન પામીને આજે કેવા જુદા જુદા સ્વરૂપે વિહરી છે જેમાં કેટ કેટલાય વિદ્વાનો તેમજ તત્વચિંતકોના સહિયારા પ્રયાસે ભાષામાં સતત ભાષાકીય પરિવર્તન આવતા જ રહ્યા છે. જેમાં આપણે હાલની વાત કરીએ તો ઘણા બધા પરિવર્તનો ભાષાકીય સ્તરે જોવા મળે છે.
અર્વાચીન યુગમાં ભાષાકીય પરિવર્તન એટલી હદે આવી ગયા છે કે લોકો ગુજરાતી છોડી માતૃભાષા છોડી અંગ્રેજી ભાષા તરફ વધુ ઝુકયા છે અને પોતાના બાળકોને નવી દિશા તરફ દોરે છે. તેમજ જર્મન, સ્પેનિશ જેવી વિદેશી ભાષાઓ પણ લોકો શીખે છે. આમ ભાષામાં ઘણા મોટા ફેરફાર થયેલા જોવા મળે છે. જે આપણે માતૃભાષા તરફ ઓછું ખેંચાણ અનુભવે છે અને આપની સંસ્કૃતિ એનાથી વિમુખ થતી જોવા મળે છે એ ના ચાલે. આપણે આપણી સંસ્કૃતિની સભ્યતા જાળવવી હોય તો આપણે માતૃભાષા તરફ ઝૂકાવ વધુ રાખવો જોઈએ અને અપનાવવો જોઈએ.
સંદર્ભસૂચિઃ
૧. ભાષા વિવેક
ભાષા નિયાકની કચેરી,
દ્વિતીય – ૨૦૧૦, ગુજરાત રાજય, ગાંધીનગર.