આધુનિક ભારતમાં સામાજીક પરિવર્તન

ઠાકોર મેઘના એસ.

શોધાર્થી

સારાંશ:

         પરિવર્તન એ કુદરતનો અપરિવર્તન શીલ નિયમ છે. સમાજની સાધનાત્મક અને ધોરણાત્મક વ્યવસ્થામાં સંસ્કૃતિના કોઈપણ ભાગમાં પરિવર્તન એટલે સામાજીક પરિવર્તન ક્રિયાશીલ છે. જે માનવ સમાજ ને સુધારવાની દિશામાં પોતાની પ્રગતિ કરતો જાય છે. માનવીની સામાજીક ક્રિયા પ્રતિ ક્રિયા ના સામાજીક સબંધોની ઢબ ફરક પડે ત્યારે પણ તેને સામાજીક પરિવર્તન કહી શકાય છે. માનવ વર્તન ક્યારેય પણ એક સરખું રહેતું નથી. સામાજીક પરિવર્તન, સામાજીક રચના અને કાર્યમાં આવતું પરિવર્તન છે. સામાજીક પરિવર્તન ને સમાજ સમગ્ર મોટાભાગના લોકોની જીવન પ્રણાલી માં આવતા પરિવર્તન સાથે સબંધ છે.

સામાજિક પરિવર્તન એટલે શું ?

         માનવી વધુ લાગણીશીલ હોય છે. તેથી તે પ્રત્યે લાગણી લાગણી દર્શાવતો જાય પણ બદલી ના શકે તે પરિવર્તન. કોઈ એક વસ્તુ ગમતી નથી એમાં વારંવાર ફેરફાર કરીએ છીએ એ પરિવર્તન.

         ‘ સામાજિક સંગઠનમાં એટલે કે સમાજ ની રચના અને કાર્યમાં થતા ફેરફારો એટલે સામાજીક પરિવર્તન’                –        કિંગ્સલે ડેવિસ

         ‘ સામાજિક સબંધોના ગૂંફનમાં થતા ફેરફારોને જ સામાજિક પરિવર્તન કહેવામાં આવે છે. ’           –        મેકાઈવર અને પેજ

  • કાર્લમાકસ ઉત્પાદન અને પરિવર્તનને જોડે છે.
  • ટાલકોટ પાર્સન્સ કહે છે કે ‘ સમાજ જેમ જેમ ઔદ્યોગિકરણ  તરફ વળતો જાય છે. તેમ – તેમ સમાજો માં વધુ પ્રમાણમાં વ્યાવસાયિક વિશેષતાઓ જોવા મળે છે. જે સામાજીક પરિવર્તન એ વિકાસમાં પરિણમે છે.’
  • જહોન્સન કહે છે કે ‘સામાજિક રચનાતંત્રમાં આવતું પરિવર્તન એટલે સામાજીક પરિવર્તન’
  • એલ્વિન બોસ્કાફે ના મતાનુસાર સામાજીક પરિવર્તન એ બુદ્ધિગમ્ય પ્રક્રિયા છે. જેના આધારે નિશ્ચિત સામાજીક વ્યવસ્થામાં તથા કાર્ય પ્રણાલીમાં થવાવાળા મહત્વપૂર્ણ ફેરફારોને જાણી શકાય છે.
  • ફેર ચાઈલ્ડ ના મતે સામાજિક પરિવર્તન એટલે સામાજિક પ્રક્રિયા, ધોરણો, સ્વરૂપના કોઈપણ પાસાને થવાવાળા તફાવતો અથવા તો સંશોધનો,

આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન:

                 આધુનિક ભારતીય સમાજમાં સ્વતંત્રતા મળ્યા પહેલાના સમયમાં અને  સ્વતંત્રતા મળ્યા પછી ના સમયગાળામાં તેમજ કોઈ એક જ સમયગાળામાં ભારતના ગ્રામસમાજમાં અને નગર સમાજમાં પરિવર્તનની ગતિ જુદી – જુદી માલુમ પડે છે. આ રીતે આવેલા અને આવતા પરિવર્તનોની તુલના પણ થઇ શકે છે. સામાજિક પરિવર્તન ગુણાત્મક હોય છે. સમાજમાં પ્રવર્તતી કોઈ એક પરિસ્થિતિ નો બદલાવ કે પરિવર્તન ક્યારેય ઇચ્છનીય તો ક્યારેક અનિચ્છનીય હોય છે. આધુનિક સમાજમાં જોવા મળતું સામાજીક પરિવર્તન પ્રમાણ માં ઝડપી છે. અને સામાજીક રચના ના કોઈ ને કોઈ ભાગમાં ચોક્કસપણે સર્જાતું રહે છે. સમાજના મૂલ્યોમાં આવતા પરીવાર્તત કરતા ભૌતિક ક્ષેત્રોમાં આવતા પરિવર્તન ની ગતિ ઝડપી છે. અલબત આધુનિક સમાજમાં પણ પરિવર્તન તો સ્વાભાવિક રીતે આવે જ છે. આ પ્રક્રિયા વ્યક્તિના વિચારો પર અને સમાજની રચના તેમજ કર્યો પર અસર કરે છે. વળી સાંપ્રત સમાજમાં આયોજન દ્વારા નિશ્ચિત ધ્યેયોની દિશામાં પરિવર્તન માટે પ્રયત્ન કરવામાં આવે છે.

                 સમય, સ્થળ સમાજની પ્રથા, કક્ષા, નિયમો, વ્યવસાયો, ઉદ્યોગો, હાવ ભાવ, બોલી રીતરિવાજ, કુટુંબ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, ખેતી ધંધા, વગેરે માં પરિવર્તન આવ્યું છે. જેમ જેમ વ્યક્તિ સમાજ પ્રત્યે વ્યક્તિનિષ્ઠ બનીને વિકાસ કરે છે. તેમ તેમ આધુનિક યુગમાં સારું સામાજીક પરિવર્તન લાવી શકાય છે. સામાજીક પરિવર્તન એક મોટું કાર્ય  છે. દરેક વ્યક્તિ એ આમાં યોગદાન આપવું જોઈએ. દરેક વ્યક્તિ પોતાના સમાજને બદલવા પરિવર્તન લાવવા માટેના પ્રયત્નો કરે છે. પોતે વ્યક્તિગત યોજના બનાવવાની જરૂર છે. અને સમાજની સમસ્યાઓ ના ઉકેલ માટે વ્યવહારુ અને બૌદ્ધિક માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરે છે. લોકો ના માનસ બદલવા અને વ્યાપક ચર્ચા કેરીને હૃદય જીતવા માટે સતત કાર્ય કરવું જોઈએ.

                 આજના માનવી ની સામાજીક ક્રિયાઓ એના પૂર્વજો થી જુદી છે. પ્રાચીન સમયથી અલગ કરતો જોવા મળે છે. જયારે માનવ વ્યવહારો બદલાવા માંડ્યા છે. આવા વ્યવહારોમાં પણ પરિવર્તન આવેલું જોવા મળે છે. સામાજીક પરિવર્તન ભૌગોલિક પરિસ્થિતિ ના બદલાવ થી કે નવા સાધનો કે નવી શોધો ને અપનાવવાથી કે વસ્તી ની વિચારધારા ના પરિવર્તન ને લીધે સંચાર માધ્યમોના વ્યાપક પ્રસારને કારણે આવ્યું છે. પણ આવો ફેરફાર સમાજમાં પરિવર્તન સૂચવતો હોય તો તે સામાજિક પરિવર્તન કહેવાય છે.

                 સામાજીક પરિવર્તન ની ઢબ જુદી જુદી હોય છે. સામાજીક પરિવર્તન ની જટિલ પ્રક્રિયા પાછળ કોઈ એક કારણ જવાબદાર ણ હોઈ શકે. જુદા જુદા પરિબળો પણ એકબીજાને પ્રભાવિત કરતા હોય છે. અને સામાજિક પરિવર્તનને ઝડપી બનાવે છે. સ્ત્રી પુરુષ વચ્ચેના સામાજીક સબંધો માં અને સ્ત્રી ના સામાજીક સ્થાન માં પરિવર્તન આવી શક્યું છે. કેટલીક વાર યુદ્ધ પણ સમાજમાં ઝડપથી પરિવર્તન લાવનારું પરિબળ બને છે. સામાજીક પરિવર્તનને પ્રેરતા અનેક પરિબળો કાર્યરત હોવા છતાં. ક્યારેક પરિવર્તન આવતું નથી કરણ કે પરિવર્તન ને અવરોધતા બળો પણ સાથે સાથે કમ કરતા હોય છે. સમાજ ના લોકો પામ નૂતન પરિવર્તન કે નવી શોધ, પ્રથા, પરંપરા, રૂઢી રિવાજ માં પરિવર્તન લાવે છે. પણ એમાય અમુક અવરોધ રૂપ પરિબળો સમાજના પરિવર્તન ને અવરોધતા પરિબળો વચ્ચે પણ સામાજીક પરિવર્તન અવિરત જોવા મળે છે.

                 આધુનિક ભારતીય સામાજીક પરિવર્તન સમાજમાં આવતું પરિવર્તન છે. સામાજિક દરજ્જા, ભૂમિકા, નિયમો, સામાજિક સંસ્થાઓ, વગેરે માં જોવા મળતાં વ્યાપક અને પ્રમાણ માં સ્થાયી ફેરફારોને સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે. અને તે દરેક સમાજમાં દરેક સમયે અપવાદ વગર જોવા મળે છે. જુદા – જુદા સમાજ માં પરિવર્તન ના કારણો જુદા જુદા હોઈ શકે છે.  અને એ મુજબ તે સમાજની ગતિ અને દિશા નક્કી થાય છે. પણ પરિવર્તન વગરનો કોઈ સમાજ જોવા મળતો નથી. સમાજના લોકો પણ પરિવર્તન ઈચ્છતા હોય છે. આથી ક્રેટલાક કિસ્સાઓ માં આયોજિત પ્રથાઓ દ્વારા પરિવર્તન લાવવા માં આવે છે. સામાજિક પરિવર્તન એ એક ક્રાંતિકારી સૂત્ર છે. સમાજના વિવિધ જૂથો જુદી જુદી રીતે સામાજિક પરિવર્તન લાવવા માંગે છે. કેટલાક લોકો ભૌતિક પરિવર્તન ને સામાજિક પરિવર્તનનું પરિણામ કહે છે. જેમ કે કૃષિ પછી ઔદ્યોગિક ક્રાંતિનો યુગ અને પછી આઈ.ટી. ક્રાંતિનો યુગ પરિણામે સમાજ અને સામાજિક વલણ વગેરેંમાં જે પરિવર્તનો આવ્યાં છે. કેટલાક લોકો બૌદ્ધિક અને વૈચારિક પરિવર્તન ને સામાજીક પરિવર્તન મને છે. જેના પરિણામે સભ્યતા માં પરિવર્તન આવે છે.

                 સામાજીક પરિવર્તન ને સમજવા માટે સૌપ્રથમ સમાજને સમજવો પણ ખુબ જરૂરી છે. કે સમાજ શું છે ? સમાજનું મૂળ એકમ વ્યક્તિ છે. આ મૂળભૂત એકમ માંથી કુટુંબ અને સામાજીક સંસ્થાઓ અસ્તિત્વમાં આવે છે. આ દ્રષ્ટિ કોણ થી સમાજના ત્રણ મૂળભૂત ઘટકો છે. વ્યક્તિ કુટુંબ અને સામાજિક સંસ્થાઓ સમાજની આ ટૂંકી સમજણ પછી એ સમજવું સરળ છે કે સામાજીક પરિવર્તન માટે વ્યક્તિ નું પરિવર્તન જરૂરી છે. અને વ્યક્તિ એ કોઈ રોબોટ કે પ્રાણીનું નામ નથી પરંતુ તે એક વિચારશીલ સર્જન નું નામ છે. પરિવર્તન માટે તેની વિચારધારા પણ અત્યંત મહત્વની છે.

                 ભારત ના બધાજ સજ્યોમાં સામાજીક વલણો અલગ અલગ જોવા મળે છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સબંધોમાં પણ સામાજિક પરિવર્તન આવેલું છે. સમય પ્રમાણે બધી જ બાબતો માં પરિવર્તન આવ્યું છે. જેની સાથે સામાજીક , ધાર્મિક, રાજકીય, સાંસ્કૃતિક, રીતે પરિવર્તન આવેલુ છે. આધુનિક યુગ માં ભારતીય સમાજ વ્યવસ્થા બદલાઈ ત્યારથી બધાજ નીતિ નિયમો માં ફેરફાર થયા છે. જ્ઞાતિ, કુટુંબ, સબંધો વ્યવહારો, રિવાજો, પ્રસંગો, શિક્ષણ, સ્ત્રી દરજ્જો જેવા સામાજીક રૂપો માં ફેરફાર થયા છે. ભારત માં હિંદુ, મુસ્લિમ, શીખ, જૈન, યહૂદી, બધી જાતિ, ધર્મ ના લોકો રહે છે. તેમજ દરેક રાજ્ય ના અલગ અલગ જાતિના લોકો વસે છે. એમના પણ સામાજિક સબંધો માં પરિવર્તન લાવી શકાયું છે. આધુનિક યુગ માં પરિવર્તન ખુબજ ઝડપી જટિલ પ્રક્રિયા છે. અને એને વેગ આપવો એ દરેક વ્યક્તિ ની ફરજ છે. એટલે જ પોતે સમાજમાં આગળ આવી શકશે અને વિકાસ પરિવર્તન લાવી શકશે.

સંદર્ભ સુચિ::

૧)      ‘સામાજિક પરિવર્તન’:- ઠાકર ધીરુભાઈ (સંપાદક), ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ

૨)      ‘આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન’ (ચોથી આવૃત્તિ)

         – શાહ એ.જી.દવે, જગદીશ કે

૩)      ‘સામાજિક પરિવર્તન’ :- ઝવેરી મહેન્દ્ર કૃષ્ણલાલ ,  ગુજરાત યુનીવર્સીટી

૪)      પારિભાષિક કોશ – સમાજશાસ્ત્ર, અમદાવાદ, યુનીવર્સીટી ગ્રંથનિર્માણ બોર્ડ