શ્રમ વિભાજનના સ્થળાંતર થી આદિવાસી મહિલામાં આવેલા આર્થિક પરિવર્તન

બારોટ અમીષા સંજયભાઈ

(પીએચ.ડી સ્કૉલર),અનુ॰ સમાજશાસ્ત્ર વિભાગ,સરદાર પટેલ યુનિવર્સિટી,વલ્લભ વિદ્યાનગર

પ્રસ્તાવના :

સાંપ્રત સમયમાં સમાજમાં અનેક  બદલાવ આવેલા જોવા મળી રહે છે. અને તેમાં આપણે પરિવર્તનની દિશા ખૂબજ ઝડપ ઝડપી છે. તેમાં ઘણા બધા પરિબળો અસર છે. વર્તમાન સમયમાં શિક્ષણ અને ટેકનોલોજી નો વ્યાપ ખૂબજ વધતો ગયો છે. તેના પરિણામે સમાજમાં નવા નવા વિકસિત પ્રવાહો નો દોર શરૂ થયો છે. આમ પણ પ્રાચીન સમયથી પરિવર્તનને સંસારના નિયમ ગણે છે. તેવી જ રીતે વિકસિત ભારતમાં નવા સમીકરણો અને આધુનિક થયેલ  ટેકનોલોજી જેવા પરિબળોને ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે॰ જેમાં ઔદ્યોગિક ક્રાંતિ, શહેરીકરણ જેવા મહત્વના પરિબળોના કારણે સમાજમાં નવો અભિગમ અસ્તિત્વમાં આવ્યો છે. અને ખાસ કરીને સ્ત્રીઓના સંદર્ભમાં જોઈએ તો વિકસિત ભારતમાં પણ પરિવર્તન ઝડપી બન્યું છે. આથી પરિસ્થિતિ શ્રમના અનેક વિભાજન દ્વારા પણ સમાજમાં જુદા જુદા વિસ્તારો અને જ્ઞાતિ વ્યવસ્થાઓમાં પણ પરિવર્તન જોવા મળે છે.

આધુનિક ક્રાંતિની શરૂઆત 18મી સદી પછીના દસકામાં શરૂ થયેલી જોવા મળે છે. આજના યુગને ટેકનોલોજી અને ઔદ્યોગિક યુગ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં ઉદ્યોગોના કારણે અનેક નવા- નવા પરિવર્તનો સમાજમાં આવેલા જોવા મળે છે. તેમાં આદિવાસી સમાજમાં શ્રમ વિભાજનની વાત કરવામાં આવે તો તેમાં સ્ત્રીઓની આર્થિક પરિસ્થિતિમાં ખૂબ મોટું પરિવર્તન આવેલું છે. સ્ત્રી અને પુરુષ વચ્ચે શ્રમવિભાજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ત્રીઓ માત્ર ઘરનું કામ કરવું, ઘરના સભ્યો અને બાળકોને સાચવવા, તેમજ જમવાનું બનાવું વગેરે સ્ત્રીઓ કરતી હતી. તેમજ પુરુષ પૈસા કમાવીને ઘરમાં આપતા હતા. આ પ્રકારના શ્રમવિભાજનમાં ખૂબ મોટું પરિવર્તન આવેલું છે. જેની ચર્ચા નીચે  કરવામાં આવેલી છે

માનવીને આર્થિક પ્રવૃત્તિ કરવી અનિવાર્ય છે. કારણ કે તેના ઉપર જ તેના જીવન નિર્વાહનો આધાર રહેલો હોય છે. અર્થવ્યવસ્થાની ઉત્ક્રાંતિ દરેક તબક્કે માનવીને એક યા બીજા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરતો હોય છે. તેમ જણાય છે.કે આથી ઉત્પાદન ઉપભોગ વિનિમયની વ્યવસ્થા દરેક સમાજમાં દરેક સમયે જોવા મળે છે॰

“માર્શલ અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં જણાવ્યું છે. કે અર્થશાસ્ત્રના અભ્યાસને માનવીના સમગ્ર અભ્યાસનો એક ભાગ ગણાવે છે. અર્થશાસ્ત્ર માનવીના જીવનના આર્થિક પાસાનો અથવા ક્રિયાનો અભ્યાસ કરે છે. અને આર્થિક ક્રિયા એ સમગ્ર સામાજિક ક્રિયાનું એક જ અંગ છે. આ અર્થ વ્યવસ્થા અને સમાજશાસ્ત્ર વચ્ચેની નિકટનો સંબંધ છે. માનવીના જે આર્થિક વ્યવહારો છે. તેના અધ્યયન માટે અન્ય સામાજિક શાસ્ત્રોનું જ્ઞાન આવશ્યક અને ઉપયોગી નીવડે છે। “

ચાવીરૂપ શબ્દ : શ્રમ  વિભાજન ,સ્થળાંતરિત ,આદિવાસી મહિલા, આર્થિક પરિવર્તન

પરિવર્તનના સ્ત્રોતો:    

ભારત એ વિકાસશીલ  દેશ છે. જેમાં અનેક નવા- નવા પરિવર્તન આવ્યા છે. ટેકનોલોજી અને શિક્ષણના માધ્યમ થકી અનેક ક્ષેત્રમાં પરિવર્તન આવ્યા છે. તેમાં આજના સમયમાં આદિવાસી સમાજ મહિલાઓ ના દરજ્જામાં મોટું પરિવર્તન આવ્યું છે. આદિવાસી સમાજમાં મહિલાઓ માત્ર ઘરનું કામ કરીને રહેતી હતી. તે ઘરની બહાર પણ નીકળી ન શકતી. પોતાના સમાજ રીતી રિવાજો ના કારણે તેમના વિકાસમાં અવરોધ ઊભો થતો હતો. પણ આજના સમયમાં પરિસ્થિતિ તદ્દન વિરુદ્ધ છે॰ આજે આદિવાસી સમાજમાં સ્ત્રીઓ શિક્ષણ મેળવતી થતી હોવાના કારણે તેમના સ્થાનમાં, ભુમિકામાં મોટો પરિવર્તન આવેલ છે. શિક્ષણના માધ્યમ થકી પરિવર્તન નીપજીયું છે.

આદિવાસી સમાજમાં મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે સ્ત્રીઓ ઘરની બહાર નીકળતી થઈ છે. તેમ જ તે સરકારી નોકરીઓ , ખાનગી ક્ષેત્ર કામમાં જોડાતી થઈ છે. સ્ત્રીઓ સ્વતંત્ર અને સશક્ત તેમજ સ્વાવલંબન બની રહી છે. તેને કોઈ પુરુષને આધીન રહેવું પડતું નથી. આમાં ઘણી બાબતોમાં પરિવર્તન આવ્યું છે. જે નીચે મુજબ છે.

શિક્ષણ ક્ષેત્ર પરિવર્તન :

સરકાર દ્વારા આદિવાસી સમાજની મહિલાઓને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે. તેમજ તેમને શિષ્યવૃત્તિની પણ અલગથી જોગવાઈ કરવામાં આવી છે. તેમજ ભણવા માટેનો અન્ય ખર્ચો પણ સરકાર પૂરો પાડે છે. જેનાથી આદિવાસી સમાજની સ્ત્રીઓ શિક્ષિત અને રોજગાર મેળવતી થાય છે. તે તેનો મુખ્ય ઉદ્દેશ છે.

રોજગારીની તકો:

આદિવાસી સમાજની સ્ત્રીઓ માટે રોજગારીની તકોમાં વધારો કરવામાં આવ્યો છે. દરેક ક્ષેત્રમાં તેમની અનામત રાખવામાં આવે છે॰ તેમને પૂરતી રોજગારી મળી રહે તે માટે તેમને પહેલી તક આપવામાં આવે છે. અને તે આજે સાબિત થયેલું છે. દરેક ક્ષેત્રમાં આદિવાસી મહિલાઓ કામ કરતા જોવા મળે છે.

ઉદા; શિક્ષણ ક્ષેત્રે, સરકારી કાર્યાલયો, બેન્કિંગ ક્ષેત્ર, ખાનગી કંપનીઓ, સહકારી મંડળીઓ, મંડળો વગેરે માટે પોતાનું કામ બચાવે છે. જેનાથી તે રોજગાર મેળવે છે. અને પગભર બને છે.

તે ઉપરાંત સરકાર દ્વારા મહિલાઓને સબસીડી અને લોન ની યોજનાઓ પણ બહાર પાડવામાં આવી છે.. આર્થિક રીતે મજબૂત બનવા માટે આદિવાસી મહિલાઓને સરકાર તરફથી નાણાની સહાય પૂરી પાડવામાં આવે છે. જેનાથી તે પોતાનો નાનો- મોટો ધંધો શરૂ કરી શકે છે.

હાલના સમયની વાત કરીએ તો ગૃહઉદ્યોગનું પ્રમાણ વધ્યું છે. એક કરતાં વધારેમહિલાઓ ભેગી થઈને ઘરમાં એક નાની- મોટી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે. અને તેને બજારમાં લાવીને વેચે છે. જેનાથી તેમને આર્થિક સંપત્તિ પ્રાપ્ત થાય છે. તેમજ તેમના ગૃહઉદ્યોગ અને મોટા પાયા પર શરૂ કરી શકાય છે।

 ઉદા; હાલના સમાચારમાં આદિવાસી તેલ ખૂબ જ પ્રચલિત બન્યું છે.

કૃષિ આધારિત:

આદિવાસી સમાજ એ કૃષિ સાથે જોડાયેલો સમુદાય છે. જેમાં સ્ત્રીઓ પણ કામ કરતી જોવા મળે છે॰ સરકાર કૃષિ આધારિત અનેક સહાય પૂરી પાડે છે. જેનાથી ઉત્પાદનમાં વધારો થાય છે. અને તેમની આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવે છે. આદિવાસી સમાજમાં જે સ્થળાંતરિત થયેલા આદિવાસી છે. તેમાં સ્ત્રીઓના આર્થિક પરિસ્થિતિમાં ખૂબ જ મોટો તફાવત જોવા મળે છે. આદિવાસી સમાજની સ્ત્રીઓના સ્થાન દરજ્જો ભૂમિકા વગેરેમાં પરિવર્તન આવ્યું છે. સરકાર થકી આદિવાસી સમુદાયમાં સ્ત્રી સશક્તિકરણ શિક્ષણનું મહત્વ આર્થિક પરિસ્થિતિ વગેરે જેવી બાબતો પર જાગૃતિ આવે તે માટેના કાર્યક્રમ કરવામાં આવ્યા છે. જેના થકી એ સમુદાયમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. રોજગારલક્ષી શિક્ષણ અને તાલીમ આપવામાં આવતી હોવાથી રોજગાર પણ પ્રાપ્ત થાય છે. જેનાથી સ્ત્રીઓ જાગૃત થાય છે. અને પોતાના ગામ અને સમુદાયમાંથી બહાર આવીને રોજગાર મેળવતી થાય છે. અને પોતાની આર્થિક પરિસ્થિતિમાં સુધારો લાવે છે. આજના સમયમાં અનેક આદિવાસી સ્ત્રી -પુરુષ સ્થળાંતરિત થયા છે. અને તેમાં સ્ત્રીઓના સ્થાન અને આર્થિક ક્ષેત્રે ખૂબ જ મોટું પરિવર્તન આવ્યું છે। તેની સાથે -સાથે તેમની સંસ્કૃતિ, ભાષા, રહેણી, કલા- કૌશલ્યમાં પરિવર્તન પણ આવ્યું છે.

સારાંશ  :

પરિવર્તન એ સતત ચાલતી એક પ્રક્રિયા છે. પરિવર્તન ક્યારેય અટકતી જતું નથી. દરેક ક્ષેત્રમાં દરેક પાસામાં પરિવર્તન આવતું જોવા મળે છે. તેમાં આજે સામાજિક, આર્થિક રાજકીય, શૈક્ષણિક બધા જ માં અનેક ઘણા પરિવર્તનો આવ્યા છે. તેમાં આપણે જોયું કે આદિવાસી સમાજની સ્ત્રીઓ આર્થિક પરિસ્થિતિમાં કેટલું મોટું પરિવર્તન આવ્યું છે. જેમ- જેમ સ્ત્રીઓ શિક્ષણ મેળવતી થઈ છે. તેમ -તેમ તે પોતાનું ગામ, સમુદાય, સમાજને છોડીને શહેર તરફ સ્થળાંતર કરતી થઈ છે. જેના કારણે તેઓ આર્થિક રીતે સધ્ધર બનતા ગયાછે. સમાજમાં સ્ત્રીઓનું પણ માન- સન્માન વધ્યું છે. દરજજો પણ ઊંચો થયો છે. માટે શ્રમ  વિભાજનના સ્થળાંતરથી આદિવાસી મહિલાઓમાં આર્થિક છે. પરિવર્તનની સાથે સામાજિક, સાંસ્કૃતિક જેવા અનેક ઘણા નાના- મોટા પરિવર્તનો આવ્યાછે.

સંદર્ભ

 ૧)  આદિવાસી સમાજ : પ્રો જે .સી. પટેલ- ડો. સુભાષ પાંડર

૨)  આ પણ ગુજરાત છે દોસ્તો – ડો વિધુત જોષી

૩)  આદિવસી સમાજનું સમાજસાસ્ત્ર –પ્રો .એ .જે શાહ

૪)  ગુજરાતની જનજાતિય સંસ્કૃતિ – અરુણ વાઘેલા