ડો. ડી. એચ. સુખડીયા
પરીક્ષા નિયામક,ભક્તકવિ નરસિંહ મેહતા યુનિવર્સીટી
VOLUME-10 / YEAR -10 / ISSUE –6 / JUNE-2023
૧. પ્રસ્તાવના
વર્તમાન સમયમં સમગ્ર વિશ્વમાં પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઇ છે. ત્યારે ભારતમાં પણ તેમાથી બાકાત રહ્યુ નથી. કોરોના કાળમાં દુનિયામાં અનેક પ્રકારના પડકારોનુ સર્જન થયું છે. જે એક વાયરસ આખી દુનિયાને ઊથલપાથલ કરી નાખે છે. આખા વિશ્વના કરોડો લોકોની જીંદગીઓને સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે લોકડાઉન – ૩ના અંતમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતની શરૂઆત કરી, ભારતને સ્વાવલંબન પ્રાપ્ત કરાવી આર્થિક વિકાસ તરફ ગતી કરી છે.
૨. આત્મનિર્ભર ભારત અભિયાનનો પ્રારંભ
આત્મનિર્ભર અભિયાન જે આત્મનિર્ભર ભારતની રજૂઆત કરે છે. આ અભિયાન ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ ભારતને વૈશ્વિક અર્થતંત્રનો મહત્વનો અને મોટો હિસ્સો બનાવવાનો દ્રષ્ટિકોણ વ્યક્ત કર્યો છે. તેમજ તેમની નીતિઓને અમલમાં મૂકીને અર્થતંત્રને સ્થિતિસ્થાપક, કાર્યક્ષમ, સ્પર્ધાત્મક અને ટકાવી રાખવાનો અને સ્વ-ઉત્પન કરવાનો વ્યક્ત કર્યો છે. આત્મનિર્ભર ભારત અભિયાનનો અર્થ નિયંત્રણ તેમજ વિશ્વથી અલગ થવું કે સંરક્ષણવાદી બનવું તેવો થતો નથી. પરંતુ તેનો અર્થ કાર્યક્ષમ, સ્થિતિસ્થાપક અને સ્પર્ધાત્મકતા ટકાવી રાખીને વિશ્વની સાથે ચાલીને વિકાસ કરવાનો છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કહે છે કે, આટલી મોટી આપતી ભારત માટે એક સંકેત લઈને આવી છે. એક સંદેશ લઈને આવી છે. એક અવસર લઇને આવી છે. ભારત આપતીને એક અવસરમાં પરિવર્તન કરીને વિકાસ તરફ આગળ વધતું જાય છે. જે પૃથ્વીને માતા મનાતી હોય તે સંસ્કૃતિ, તે ભારતભૂમિ જ્યારે આત્મનિર્ભર બની છે ત્યારે તેનાથી એક સુખી, સમૃદ્ધ વિશ્વની સંભાવના બની રહે છે. ત્યારે તેનાથી ભારતની પ્રગતિમાં પણ વિશ્વની પ્રગતિ સમાયેલી છે. આમ આત્મનિર્ભર ભારત અભિયાન એ ભારત દેશે શરૂ કરેલું સ્વાવલંબી આર્થિક વિકાસનું પ્રથમ પગથિયું છે. જેના વડે આપણી અર્થવ્યવસ્થાને સંકટના સમયમાં પણ મજબૂત બનાવી શકાય તેવા વિવિધ આર્થિક પેકેજની સહાય કરીને આ દિશામાં મજબૂતીથી આપણે આગળ વધી રહ્યા છીએ. જે વસુદેવ કુટુંબકમની ભાવના સાર્થક કરે છે. આત્મનિર્ભર ભારત અભિયાન મિશનની શરૂઆત તારીખ 12 -૫- 2020 ના રોજ ભારતમાં કોવિડ – ૧૯ના સંદર્ભમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કરવામાં આવી. જેનું આર્થિક પેકેજ સ્વરૂપે 20 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. આ અભિયાનના મુખ્ય પાંચ સ્તંભો મહત્વના છે.
૧. અર્થતંત્ર
૨. આંતરમાળખું કે માળખાગત સુવિધા
૩. ટેકનોલોજી
૪. વસ્તી
૫. માંગ
આત્મનિર્ભર ભારત અભિયાન એ માનનીય વડાપ્રધાનના મતે દેશને આત્મનિર્ભર બનાવવાની અને દુનિયાની નજીક રહેવાની વાત છે. આત્મનિર્ભર ભારત બનવા માટે ઉત્પાદન તેમજ કાર્યક્ષમતા સમાનતા અને સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપી નીતિઓને આગળ વધારીને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવી. આ અભિયાન એ અર્થતંત્ર અને સંરક્ષણવાદી બનાવવાનું લક્ષ્ય નથી. પરંતુ આત્મનિર્ભર ભારત એ દુનિયાની સાથે ચાલીને પોતાના વિકાસની સાથોસાથ દુનિયાનો વિકાસ થાય મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, વર્ક ફ્રોમ હોમ, ગ્રામ્ય વિકાસ, ખેતી વિકાસ, ગરીબ લોકો તેમજ મજૂરોનો વિકાસ થાય તે હેતુ છે. તે સીધા વિદેશી મૂડી રોકાણને આકર્ષવા અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાનો છે.
ભારતના પ્રત્યેક વ્યક્તિને તેના ગામ-શહેરમાં આત્મનિર્ભર બનાવવાનો છે. આયાતો ઘટાડી અને નિકાસ વધારીને દેશના ઉદ્યોગોને આત્મનિર્ભર બનાવવાના છે. આત્મનિર્ભર ભારતથી અર્થતંત્રને મજબૂત બનાવવાનું છે. ખેતીનો વિકાસ, ઉદ્યોગોનો વિકાસ થશે. રોજગારી વધે, પૈસા વધે, આત્મનિર્ભર ભારત અભિયાન એ ભારત વિકાસ અભિયાનનો તેમજ વૈશ્વિક અર્થતંત્રના વિકાસનો મોટો અને મહત્વનો ભાગ છે. જે અભિયાન તારીખ ૧૨-૦૫-૨૦૨૦ના રોજ ૧૦ લાખ કરોડ રૃપિયાના આર્થિક પેકેજ સાથે શરૂઆત કરવામાં આવી. જે રકમ કુલ મૂડીના ૧૦ ટકા જેટલી થાય છે. આ આર્થિક પેકેજમા મુખ્યત્વે ગૃહ ઉદ્યોગો, મધ્યમ અને નાના ઉદ્યોગો, મજદૂરો, ગરીબો, મધ્યમ વર્ગને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને લોકલ એટલે સ્થાનિક ઉદ્યોગોનો લોકલ ટુ વોકલ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. લોકઉદ્યોગોને વૈશ્વિક ઉદ્યોગો બનાવી વૈશ્વિક કક્ષાએ લઇ જવાનો ઇરાદો ધરાવે છે. આત્મનિર્ભર ભારત અભિયાનને મુખ્યત્વે પાંચ વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે જેવા કે –
૧. ધંધાકીય સંદર્ભમાં
૨. ગરીબ વર્ક સ્થળાંતરીત મજૂરો અને ખેડૂતોના સંદર્ભમાં
૩. ખેતીક્ષેત્રના સંદર્ભમાં
૪. નીતિઓના સુધારણાને સંદર્ભમાં
૫. કાયદાઓના સુધારણા અને વિકાસના સંદર્ભમાં
આત્મનિર્ભર ભારત એ સમાજના દરેક વર્ગને અસરકારક બનાવવાનો પ્રયાસ છે. જે અર્થતંત્રને ગતિ આપી શકે કોવિડ – ૧૯ ની ગંભીર અસરોથી બહાર લાવીને ફરીથી અર્થતંત્રને વેગવંતુ બનાવી શકે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને લોકલ ટુ વોકલ એટલે કે સ્થાનિક વસ્તુઓના ઉત્પાદનમાં વધારો કરીને વૈશ્વિક વસ્તુ બનાવવાની યોજના છે. તેમજ સમગ્ર અર્થતંત્રના વિકાસ માટે માનનીય વડાપ્રધાન શ્રી તેમજ નાણાં પ્રધાન શ્રી દ્વારા વિવિધ પ્રકારના આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. આમ છતાં આત્મનિર્ભર ભારત અભિયાન સામે વિવિધ પ્રકારના પડકારો પણ રહેલા છે.
૩. આત્મનિર્ભર ભારત અભિયાન સામેના પડકારો અને પ્રશ્નો
૧. અનૌપચારિક મજૂરોની ભરતી ઉપરનું વધી રહેલું ભારણ લોકડાઉનના કારણે અનૌપચારિક મજુરો બેકાર બની ગયા હતા. તેથી ફરીથી ભરતી કરી રોજગારી આપવાનો પડકાર.
૨. રોકડતા (પ્રવાહિતતા)ને લગતા પડકારો.
20 લાખ કરોડના આર્થિક પેકેજમાં વિવિધ પગલાઓનો સમાવેશ થાય છે. જે બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ અને સહકારી ધિરાણ અને રોકડ આપવાની વૃત્તિ સામે પડકાર.
૩. ડિજિટલ ઇન્ડિયા સામેના પડકારો
લોકડાઉનના કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં ડિજિટલ ઇન્ડિયા સફળ થશે કારણ કે ઇન્ટરનેટ તેમજ બેન્કિંગ સુવિધાઓ પૂરી પાડવાનો પડકાર.
૪. ઓનલાઇન શિક્ષણ સામેના પડકારો.
કોવિડ-૧૯માં સ્કૂલ-કોલેજો બંધ થવાથી વિદ્યાર્થીઓને શિક્ષણ તેમજ પરીક્ષાઓ લેવાની સુવિધાઓ ગ્રામ્ય કક્ષા સુધી કરી શકાશે કે કેમ ?
૫. ઉદ્યોગસાહસિકતા સામેના પડકારો.
લોકડાઉનની પ્રક્રિયા દરમિયાન જાહેર કરેલ આર્થિક પેકેજનો લાભ ઉદ્યોગસાહસિકોને મળશે કે કેમ ?
૬. અભિયાનની સફળતા સામેના પડકારો
આ અભિયાનની અમલવારી વ્યવસ્થાતંત્ર, અધિકારીઓ તેમજ રાજકીય નેતાઓ દ્વારા કરાવવાની હોય છે. જે ખરેખર સમયસર અને પ્રમાણિકતાથી થઈ શકશે કે કેમ ?
૪. સારાંશ
આત્મનિર્ભર ભારત અભિયાન ભારતને આર્થિક અને ઔદ્યોગિક રીતે સ્વાવલંબી બનાવવાનું લક્ષ્ય ધરાવે છે, જે 2020માં કોવિડ-19 મહામારી દરમિયાન 20 લાખ કરોડ રૂપિયાના પેકેજ સાથે શરૂ થયું હતું. આ યોજના અર્થતંત્ર, માળખાગત સુવિધાઓ, ટેકનોલોજી, વસ્તી વિષયક અને માંગ પર આધારિત છે. જોકે, તેની સફળતા સામે અનેક પડકારો અને પ્રશ્નો ઊભા છે.
પ્રથમ, આર્થિક મર્યાદાઓ અને વધતી નાણાકીય ખાધ આ યોજનાને અમલમાં મૂકવામાં મુશ્કેલી ઊભી કરે છે. બીજું, ભારતની ઔદ્યોગિક ક્ષમતા હજુ નબળી છે, અને મેન્યુફેક્ચરિંગમાં ચીન જેવા દેશો સાથે સ્પર્ધા કરવા માટે માળખાગત સુધારણા અને ટેકનોલોજીની જરૂર છે. ત્રીજું, આયાત પર નિર્ભરતા ઘટાડવી એક મોટો પડકાર છે, કારણ કે ઘણા કાચા માલ અને ઉત્પાદનો હજુ વિદેશથી આવે છે. ચોથું, નાના ઉદ્યોગો (MSMEs) ને નાણાકીય સહાય અને બજારની પહોંચની સમસ્યા છે.
Reference